અમદાવાદમાં શરુ થયું વૃક્ષ ગણતરી અભિયાન.
1 વર્ષ ચાલશે શહેરના વૃક્ષોની ગણતરી.
.png)
અમદાવાદમાં પહેલી વખત થશે વૃક્ષોની ગણતરી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હાથે વૃક્ષ ગણતરી અભિયાનનો પ્રારંભ
આ પહેલા 2012માં 25 લાખ વૃક્ષો હતા. તેવો અંદાજિત આંકડો માનવામાં આવતો હતો.
.png)
શહેરમાં ગતવર્ષ દરમિયાન થ્રી મિલિયન ટ્રી વાવવાનું અભિયાન ચલાવાયુ હતું.
આ બધાની વચ્ચે વૃક્ષ ગણતરીના નિયમ મુજબ 3 મીટર કે તેથી વધુ ઊંચાઈ ધરાવતા આને 10 સેમીથી વધુ ઘેરાવો ધરાવતા વૃક્ષોને જ આ ગણતરીમાં સામેલ કરવામાં આવશે.
ગણતરી કરેલા વૃક્ષોને તેના ચોક્કસ સ્થાન સાથેની માહિતીને ગૂગલ મેપમાં ઉમેરવામાં આવશે.
વૃક્ષ ગણતરી અભિયાનનો ફાયદો શું ?
➨ શહેરમાં કેટલા વૃક્ષો છે. તેની ચોક્કસ માહિતી મળશે.
➨ કયા કયા એરિયામાં કેટલા વૃક્ષ! કેટલું ગ્રીન કવર છે. તે જાણવા મળશે.
➨ કયા વિસ્તારમાં વધુ વૃક્ષો ઊગાડવાની જરૂરત છે. તે જાણી શકાશે.
➨ શહેરમાં કઈ કઈ પ્રજાતીના વૃક્ષો છે. તેની જાણ થશે.
➨ વૃક્ષની કઈ પ્રજાતિ શહેરમાંથી લુપ્ત થઈ રહી છે. તે જાણી શકાશે.
➨ લીમડો, વડ, પીપળો જેવા વૃક્ષોની માત્રા ખબર પડશે.
➨ કયા વૃક્ષ કેટલા જૂના છે. તેની પણ માહિતી મળશે.
તમામ વૃક્ષો પર તેની ચોક્કસ માહિતી સાથેનો QR કોડ લગાવવામાં આવશે.