કાંકરિયા ઝૂના જૂના પાંજરાઓ બદલાશે
પક્ષી પાંજરા 73 વર્ષ જૂના છે!
.png)
કાંકરિયા ઝૂમાં મુકાશે નવા પાંજરા.
અમદાવાદના એકમાત્ર પ્રાણીસંગ્રહાલયમાં પક્ષીઓ માટે મુકાયેલા પાંજરાઓ બદલવામાં આવશે. વર્ષ 1951માં લાગેલા પાંજરાઓની હાલત કાટ ખવાયેલી સ્થિતિમાં.
પહેલા દેશ-વિદેશના પક્ષીઓને જોવા પાંજરાની બહાર ઊભું રહેવું પડતું હતું. જ્યાં નવા પાંજરા એવા હશ કે જેમાં અંદર જઈને પક્ષીઓની મુલાકાત લઈ શકશે.
.png)
નવા પાંજરા 25 ફૂટ ઊંચા હશે. જ્યાં પક્ષીઓ આ મોટા પાંજરાઓમાં ખુલ્લામાં ઊડી પણ શકશે. આ પાંજરાઓમાં થાંભલાના સ્ટ્રક્ચર એવા હશે કે જાણે ત્યાં ઝાડ ઊભું હોય.
પક્ષીઓની સુરક્ષા અને પર્યટકોના મનોરંજન માટેની સુવિધાઓ સભર પાંજરાના ઈન્સ્ટોલેશન કરાશે. દરેક વિઝિટરને સેનેટાઈઝ કરાઇને પાંજરાની અંદર એન્ટ્રી અપાશે. ટૂંક સમયમાં મ્યુનિ. કોન્ટ્રેક્ટ આપવા માટે ટેન્ડર બહાર પાડશે. કોન્ટ્રેક્ટ મેળવેલ કંપનીએ હાલ મુજબના સ્ટ્રક્ચર તથા વૃક્ષોનો ટોપોગ્રાફીનો સર્વે કરવો પડશે.
પક્ષીઓ માટે થનારી સુવિધા :
-પક્ષીઓને તેમના કુદરતી નેચર મુજબ પાંજરામાં સેટ કરાશે.
-શાકાહારી તથા માંસાહારી પક્ષીઓને તેમની આહાર શૃંખલા મુજબથી સેટ કરાશે.
-પક્ષીઓ વધુ ઊંચાઈ સુધી ઊડી શકે તે પ્રકારના ડોમ બનાવવામાં આવશે.
-પક્ષીઓ ઊંચાઈ પર માળો બનાવી શકે તે મુજબના ડોમ અને વૃક્ષો હશે.
વાતાવરણને અનુકૂલિત પાંજરા મુકાશે :
-અમદાવાદની ગરમીને ધ્યાનમાં લઈ પક્ષીઓને તકલીફ ન પડે અને ગરમીમાં પક્ષીઓને યોગ્ય ઠંડક મળી રહે તેવી ડિઝાઇન વાળા ડોમ બનાવાશે.
-ભેજને કારણે પક્ષીઓને ચેપ ન લાગે તે માટેની પૂરતી કાળજી લેવાશે.
-પાંજરાઓની અંદર પક્ષીઓના રોજિંદા જીવનને ખલેલ ન પહોંચે તેની પૂરતી કાળજી લેવાશે.