સિમેન્ટવાળા હાઇવેને ગ્રીન હાઇવે બનાવાશે!
S.G હાઇવેને "ગ્રીન અને ડસ્ટ ફ્રી" બનાવાશે.

શહેરના એસ.જી હાઇવેને ગ્રીન હાઇવે બનાવવાની કામગીરી શરૂ
એસ.જી હાઇવે પર સનાથલ ચોકડીથી અક્ષરધામ સુધીના માર્ગને ₹493 કરોડના ખર્ચે ગ્રીન હાઇવે તરીકે વિકસાવવાનું કામ શરૂ થઈ ગયું છે.
પ્રથમ તબ્બકામાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઇસ્કોન જંકશન-પકવાન જંકશનને ગ્રીનહાઇવે એરિયા તથા "ડસ્ટ ફ્રી" માર્ગ બનાવવાનું કામ શરૂ થઈ ગયું છે.
નેશનલ હાઇવે 147 મોટા ચીલોડા થી સનાથલ 46 કિલોમીટર અંતરના(એસ.જી હાઇવે)ના રોડને આઇકોનીક રોડ તરીકે વિકસાવવામાં આવશે તેવું આયોજન છે.
મ્યુનિં.ની હદમાં આવતા સર્વિસ રોડને મ્યુનિ.દ્વારા ગ્રીન હાઇવે પ્રોજેક્ટ માટે કામ કરાશે. અને ગાંધીનગર કોર્પોરેશનની હદમાં આવતા વિસ્તારને ગાંધીનગર મ્યુનિ.દ્વારા અને આ સિવાયના વિસ્તારમાં R&B વિભાગ દ્વારા કામ કરવામાં આવશે.
સમગ્ર હાઇવે જો ગ્રીન હાઇવે બનશે! તો તેનાથી થનાર ફાયદા
➤ ડસ્ટ ફ્રી રોડ બનશે
➤ રાહદારીઓને ચાલવા માટે સુવિધાસભર ફૂટપાથ મળશે
➤ વૃક્ષો ઉગાડવામાં આવશે
➤ જૂના વૃક્ષોંની જાળવણી થશે
➤ ખાણી-પીણીંની સુવિધા ઊભી કરવામાં આવશે.
➤ ગ્રીન એરિયા કવર વધશે
➤ ટ્રાફિકમા રાહત મળશે
➤ રોડ પર મળવાની સુવિધા ઊભી થશે જેવી કે ટોયલેટ , પાણીંની સુવિધા, બગીચા, બેઠકો, પાર્કિંગ વગેરે
ગ્રીન હાઇવેથી એસ.જી હાઇવેંની શોભા પણ વધશે અને ડેવલપમેન્ટમાં પણ વધારો થશે.